ધ્રાંગધ્રાના કુંભાર પરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ દલવાડીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે ત્રણ શખ્સોએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓએ પ્રેમજીભાઈની જાણ બહાર અંગ્રેજીમાં ખોટી ‘પાવર ઓફ એટર્ની’ કરાવી હતી અને તેમની નકલી સહીઓ કરીને ખોટા વાઉચર બનાવ્યા હતા.
આ ઠગબાજોએ દસ્તાવેજોમાં એવું દર્શાવ્યું હતું કે તેઓએ પ્રેમજીભાઈને 11.15 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. આ ખોટા દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ધાંગધ્રા સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સામેલ સંજય ઉર્ફે બિલ્લો મનાભાઈ સરવૈયા, ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર અને સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે આખું માળખું ઊભું કર્યું હતું. હાલમાં ધાંગધ્રા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને છેતરપિંડીની રકમ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ કિસ્સાએ જિલ્લામાં જમીન લે-વેચમાં થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવી દીધી છે. પોલીસ વિભાગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આ કાવતરામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીન પચાવી પાડવાના આ કેસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…