Subscribe for notification
Categories: Dasada-Patdi

પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર: APMCમાં કપાસ-એરંડા પલળતા લાખોનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને દસાડા તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ભારે પવન અને કમોસમી વરસાદ સાથે તારાજી સર્જી છે.

ખાસ કરીને ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 08 મહિનાની સખત મહેનત બાદ જ્યારે મીઠું રણમાંથી બહાર લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ આવેલા વાવાઝોડાને કારણે અગરિયાઓની સોલર પ્લેટો તૂટી ગઈ છે અને તૈયાર મીઠા પર માટીના થર જામી જતા લાખોનું નુકસાન થયું છે. પીડિત અગરિયાઓએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાયની માંગ કરી છે.

બીજી તરફ, પાટડી માર્કેટિંગ યાર્ડ (APMC) માં પણ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કપાસ અને એરંડાની જણસ અચાનક ત્રાટકેલા વરસાદમાં પલળી ગઈ હતી. વરસાદ શરૂ થતા જ વેપારીઓમાં પોતાની જણસ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, માલ સલામત સ્થળે ખસેડાય તે પહેલા જ મોટો જથ્થો પલળી જતા વેપારીઓને વ્યાપક આર્થિક ફટકો પડ્યો છે.

માત્ર રણ કે યાર્ડ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદને કારણે ખેતી અને વેપાર બંને ક્ષેત્રે પાયમાલી જોવા મળી રહી છે. રણમાં મીઠું પકવતા મજૂરો અને અગરિયાઓ માટે આ સીઝનનો સૌથી મોટો ફટકો સાબિત થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago