સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને દસાડા તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ભારે પવન અને કમોસમી વરસાદ સાથે તારાજી સર્જી છે.
ખાસ કરીને ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 08 મહિનાની સખત મહેનત બાદ જ્યારે મીઠું રણમાંથી બહાર લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ આવેલા વાવાઝોડાને કારણે અગરિયાઓની સોલર પ્લેટો તૂટી ગઈ છે અને તૈયાર મીઠા પર માટીના થર જામી જતા લાખોનું નુકસાન થયું છે. પીડિત અગરિયાઓએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાયની માંગ કરી છે.
બીજી તરફ, પાટડી માર્કેટિંગ યાર્ડ (APMC) માં પણ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કપાસ અને એરંડાની જણસ અચાનક ત્રાટકેલા વરસાદમાં પલળી ગઈ હતી. વરસાદ શરૂ થતા જ વેપારીઓમાં પોતાની જણસ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, માલ સલામત સ્થળે ખસેડાય તે પહેલા જ મોટો જથ્થો પલળી જતા વેપારીઓને વ્યાપક આર્થિક ફટકો પડ્યો છે.
માત્ર રણ કે યાર્ડ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદને કારણે ખેતી અને વેપાર બંને ક્ષેત્રે પાયમાલી જોવા મળી રહી છે. રણમાં મીઠું પકવતા મજૂરો અને અગરિયાઓ માટે આ સીઝનનો સૌથી મોટો ફટકો સાબિત થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…