Thangadh

થાન-ચોટીલા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડો ઘાયલ: રેસ્ક્યુ કરી જૂનાગઢ ખસેડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા હાઈવે પર વન્યજીવ અને વાહન વચ્ચે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. થાન-ચોટીલા રોડ પર આવેલા થાનગઢના જામવાળી ગામ નજીક અવલીયા ઠાકરની જગ્યા પાસેના વળાંક પર એક અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હતો.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે દીપડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રોડ પર જ ફસડાઈ પડ્યો હતો. ત્યાંથી પસાર થતા જાગૃત વાહન ચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ચોટીલા અને થાન વન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દીપડો માદા જાતિનો છે અને તેની અંદાજિત ઉંમર 07 વર્ષ છે.

દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેના માટે રાજકોટ અને જૂનાગઢથી ખાસ વેટરનરી ડોક્ટરોની ટીમને તેડાવવામાં આવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટરની પ્રત્યક્ષ હાજરીમાં આ ઈજાગ્રસ્ત માદા દીપડાનું અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ દીપડાને પાંજરે પૂરીને વધુ સઘન સારવાર માટે જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તો ઓળંગતા હોય છે, ત્યારે આ અકસ્માતે વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. વન વિભાગ દ્વારા હાલ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વન્ય પ્રાણીઓના વિચરણને ધ્યાને રાખી વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago