Subscribe for notification
Categories: Surendranagar

SG હાઇવે નજીક રૂ.50 કરોડના ખર્ચે બનશે નાડોદા રાજપૂત સમાજનું શૈક્ષણિક સંકુલ

ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ દ્વારા યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી સમાજની બોર્ડિંગ ખાતે શનિવારે, 14-3-2026 ના રોજ શ્રીજીસ્વામીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ-ગાંધીનગર હાઈવે નજીક અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય શૈક્ષણિક સંકુલ અને અત્યાધુનિક છાત્રાલય બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે સુરેન્દ્રનગર પંથકના 36 ગામના આગેવાનોએ એકસૂરે સહમતી દર્શાવી છે. અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ હિંમતસિંહ કટારીયાની ઉપસ્થિતિમાં મળેલી આ મીટિંગમાં સમાજની ભવિષ્યની પેઢી માટે મજબૂત શૈક્ષણિક પાયો નાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાઈવે નજીક જમીન ખરીદવા અને સંકુલના નિર્માણ અંગે થયેલી ચર્ચામાં તમામ આગેવાનોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.

વિશેષ વાત એ છે કે, બેઠક દરમિયાન જ આ પ્રોજેક્ટ માટે દાનની સરવાણી શરૂ થઈ ગઈ હતી. આશરે 50 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં માત્ર રહેવાની સગવડ જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમાજના આગેવાનોના મતે, આ શૈક્ષણિક સંકુલ આવનારા સમયમાં નાડોદા રાજપૂત સમાજના તેજસ્વી યુવાનો માટે પ્રગતિનું દ્વાર સાબિત થશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago