Surendranagar

સુરેન્દ્રનગરમાં ઉમિયા ટાઉનશીપમાં 2 કલાકમાં 3 મકાનમાં ચોરી, ₹4.84 લાખની મત્તા ચોરાઈ

સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ-1માં તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં તસ્કરોએ 3 બંધ મકાનોને નિશાન બનાવી રોકડ, સોના-ચાંદીના દાગીના અને બાઈક સહિત કુલ 4,84,600 રૂપિયાની મત્તાની ચોરી કરી છે.

આ ઘટના અંગે ભરતભાઈ કરશનભાઈ પરમારે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં 4 અજાણ્યા શખ્સો કેદ થયા છે, જેમના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

ભરતભાઈના મકાનમાંથી 2,10,000 રૂપિયા રોકડા અને 1,80,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેમજ ચાંદીની વસ્તુઓની ચોરી થઈ છે. આ ઉપરાંત, તસ્કરોએ પડોશમાં રહેતા વાલજીભાઈનું 40,000 રૂપિયાનું બાઈક અને શિલ્પાબેનના ઘરેથી 25,000 રૂપિયાની રોકડ રકમ પણ હડપી લીધી છે.

ભોગ બનનાર ભરતભાઈ કરશનભાઇ પરમારે જણાવ્યું કે, તેમની 18 દિવસ પહેલા તેમની પત્નીને દીકરાનો જન્મ થયો હોય તે વતન વાડલા ગામ ગયા અને મકાન બંધ હતું, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે.

ચોંકાવનારી વાત એ છે કે પોલીસ પેટ્રોલિંગની ગાડી નીકળ્યાના માત્ર એક કલાક બાદ જ રાત્રે 2 વાગ્યે તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા PSI એમ.એચ. પઠાણ સહિતના કાફલાએ ડોગ સ્ક્વોડ અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago