સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક આવારા તત્વોએ ગામના સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ત્યાં અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલો લાકડાનો આખો સ્ટોક સળગાવી દીધો હતો.
વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.
આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં લાકડા બળીને ખાખ થઈ જતાં અત્યારે અગ્નિસંસ્કાર માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ડાઘુઓને અંતિમ સંસ્કાર પૂર્વે લાકડાની વ્યવસ્થા કરવા માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ આ મામલે પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે અને સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ આવું હીન કૃત્ય કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…