સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે મૂળી તાલુકાના ખેડૂતોએ પ્રસ્થાપિત રાજકીય પક્ષો સામે બંડ પોકાર્યો છે.
ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર ભરોસો રાખવાને બદલે ખેડૂતોએ પોતાની સ્વતંત્ર ‘ખેડૂત પેનલ’ બનાવી ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મૂળી તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 03 બેઠકો (મૂળી-01, મૂળી-02 અને સરા) પર ખેડૂતો પોતાના ઉમેદવારો ઉતારશે.
ખેડૂતોમાં આ રોષ પાછળ મુખ્ય કારણો સિંચાઈના પાણીની સમસ્યા, જણસના અપૂરતા ભાવ અને ખેતી માટે જરૂરી યુરિયા-ડીએપી ખાતર તેમજ બિયારણની અછત છે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે દર વર્ષે રજૂઆતો કરવા છતાં કોઈ પણ પક્ષ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ગત ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે ખેડૂતો જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠીને માત્ર ‘ખેડૂત’ ઓળખ સાથે મેદાને પડશે.
આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખેડૂત પેનલના આગમનથી હવે મૂળી તાલુકામાં ત્રિપાંખિયાને બદલે ચતુષ્કોણીય જંગ ખેલાશે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસની વોટબેંક પર પડી શકે છે. જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે આ પેનલના ઉમેદવારો સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવશે.
આ પહેલથી પરંપરાગત રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત પેનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતો એકજુથ થઈને મતદાન કરશે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક આવી શકે છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…