Muli

મુળી-ટીકર રોડ પર રેલવે ફાટકથી વાહનચાલકો પરેશાન, અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થી ટીકર જતા મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો અને સ્થાનિક ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયું છે.

આ માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અનેક પેસેન્જર તથા માલગાડીઓ પસાર થાય છે, જેના કારણે દિવસમાં 10 થી વધુ વખત ફાટક બંધ કરવું પડે છે.

નવાઈની વાત એ છે કે ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.

મુળી તાલુકાના સડલા, દુધઈ, સરા અને ગઢડા જેવા ગામોના ખેડૂતો જ્યારે પોતાની જણસ લઈને સુરેન્દ્રનગર કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જાય છે, ત્યારે આ ફાટક પર કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. સરા જેવા મોટા યાત્રાધામ તરફ જતા હજારો શ્રદ્ધાળુઓ અને એસટી બસોને પણ આ વિલંબ નડે છે.

સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી અહીં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો રેલવે વિભાગ દ્વારા વહેલી તકે આ અંગે નિર્ણય લેવામાં આવે, તો જ આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago