Muli

મુળી-ટીકર રોડ પર રેલવે ફાટકથી વાહનચાલકો પરેશાન, અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થી ટીકર જતા મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો અને સ્થાનિક ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયું છે.

આ માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અનેક પેસેન્જર તથા માલગાડીઓ પસાર થાય છે, જેના કારણે દિવસમાં 10 થી વધુ વખત ફાટક બંધ કરવું પડે છે.

નવાઈની વાત એ છે કે ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.

મુળી તાલુકાના સડલા, દુધઈ, સરા અને ગઢડા જેવા ગામોના ખેડૂતો જ્યારે પોતાની જણસ લઈને સુરેન્દ્રનગર કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જાય છે, ત્યારે આ ફાટક પર કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. સરા જેવા મોટા યાત્રાધામ તરફ જતા હજારો શ્રદ્ધાળુઓ અને એસટી બસોને પણ આ વિલંબ નડે છે.

સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી અહીં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો રેલવે વિભાગ દ્વારા વહેલી તકે આ અંગે નિર્ણય લેવામાં આવે, તો જ આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago