સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવાના ગંભીર આરોપ હેઠળ શહેર પ્રમુખ કમલેશ કોટેચા, દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનરના પીએ દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તમામ નેતાઓને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, પોલીસ સમક્ષ હાજર થવાને બદલે આ ચારેય નેતાઓ હાલમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, આ નેતાઓએ પોલીસ પાસે લેખિતમાં 7 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ તપાસ અધિકારીએ હજુ આ માંગણી સ્વીકારી નથી. નેતાઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાથી પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. લોકપ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા નેતાઓ કાયદાના ડરથી ‘અંડરગ્રાઉન્ડ’ થઈ જતાં સ્થાનિક જનતામાં પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠી રહ્યા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…