સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવાના ગંભીર આરોપ હેઠળ શહેર પ્રમુખ કમલેશ કોટેચા, દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનરના પીએ દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તમામ નેતાઓને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, પોલીસ સમક્ષ હાજર થવાને બદલે આ ચારેય નેતાઓ હાલમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, આ નેતાઓએ પોલીસ પાસે લેખિતમાં 7 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ તપાસ અધિકારીએ હજુ આ માંગણી સ્વીકારી નથી. નેતાઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાથી પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. લોકપ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા નેતાઓ કાયદાના ડરથી ‘અંડરગ્રાઉન્ડ’ થઈ જતાં સ્થાનિક જનતામાં પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠી રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…