Surendranagar

સુરેન્દ્રનગરમાં ‘આપ’ના નેતાઓ ભૂગર્ભમાં: પોલીસ નોટિસ છતાં મોબાઈલ બંધ કરી ગુમ, ધરપકડની ભીતિ

સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવાના ગંભીર આરોપ હેઠળ શહેર પ્રમુખ કમલેશ કોટેચા, દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

ડેપ્યુટી કમિશનરના પીએ દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તમામ નેતાઓને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, પોલીસ સમક્ષ હાજર થવાને બદલે આ ચારેય નેતાઓ હાલમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, આ નેતાઓએ પોલીસ પાસે લેખિતમાં 7 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ તપાસ અધિકારીએ હજુ આ માંગણી સ્વીકારી નથી. નેતાઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાથી પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. લોકપ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા નેતાઓ કાયદાના ડરથી ‘અંડરગ્રાઉન્ડ’ થઈ જતાં સ્થાનિક જનતામાં પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠી રહ્યા છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago