સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે એ.ટી.વી.ટી. (ATVT) કાર્યવાહક સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કુલ 9.50 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત ચોટીલા તાલુકાને 4 કરોડ, થાનગઢને 3.25 કરોડ અને મુળી તાલુકાને 2.25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટનો ઉપયોગ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લાઈબ્રેરી, ભોજન શેડ, પેવર બ્લોક, સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ અને ભૂગર્ભ ગટર જેવા પાયાની સુવિધાઓના કામો માટે કરવામાં આવશે.
બેઠક દરમિયાન ધારાસભ્ય અને નાયબ કલેક્ટરે તમામ કામો પારદર્શી રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. ‘વાયબ્રન્ટ તાલુકો’ અભિગમ હેઠળ તૈયાર કરાયેલા આ પ્લાનનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીની સુવિધાઓ પહોંચાડી તાલુકા પ્રોફાઈલના ગેપને પૂરવાનો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…