સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ફૂલવાડી ગામે જમીન ખરીદીના નામે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના રહેવાસી ગૌતમભાઈ દિનકરભાઈ બ્રોકરે વર્ષ 2011 થી ઇન્વેસ્ટમેન્ટના હેતુથી સુરેન્દ્રનગરમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. પોતે ખેડૂત ન હોવાને કારણે, તેમણે વિશ્વાસના આધારે ફૂલવાડી ગામના બે ખેડૂતો મૂળજીભાઈ ભલાભાઈ સેનવા અને બોઘાભાઈ નાનુભાઈ મકવાણાના નામે દસ્તાવેજો બનાવી 45 એકર જમીન ખરીદી હતી.
જોકે, સમય જતાં આ બંને ખેડૂતોની દાનત બગડી હતી અને તેમણે અસલ માલિક ગૌતમભાઈને જમીન સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આ જમીન પોતાના પરિવારજનોના નામે વારસામાં ચડાવી દઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો ધડાકો થયો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે પાણશીણા પોલીસે બંને ખેડૂતોની અટકાયત કરી છે. લીંબડી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ 1.25 કરોડના કૌભાંડની ઊંડી તપાસ કરી રહ્યા છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…