સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. લીંબડીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પત્તાની જેમ વિખેરાઈ ગયું છે.
લીંબડી શહેર ‘આપ’ પ્રમુખ અનિલ સિંગલ સહિતના અગ્રણી હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાં આપી દીધા છે. આખી ટીમે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડા (Amit Chavda)ના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષપલટો કર્યો છે.
રાજીનામું આપનારાઓમાં મહિલા પ્રમુખ અસ્મિતાબા, OBC ચેરમેન ભરત માળી, અને અનુસૂચિત જાતિના ચેરમેન મયુર દુલેરા જેવા 10 થી વધુ મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે.
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આ પ્રકારની ભાંગતોડની રાજનીતિથી આમ આદમી પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનામાં જ આ ટીમ કોંગ્રેસ છોડીને ‘આપ’ માં જોડાઈ હતી, પરંતુ ટૂંકા ગાળામાં ફરી ‘ઘર વાપસી’ કરતા રાજકારણમાં ચર્ચાઓ જાગી છે.
ઉપ-પ્રમુખ નટુભા ઝાલા અને સંગઠન મંત્રી રાઠોડ સહિતના નેતાઓના જવાથી લીંબડીમાં આમ આદમી પાર્ટીનું માળખું નબળું પડ્યું છે. હવે આગામી ચૂંટણીમાં આ ફેરફારની અસર મતોના સમીકરણો પર કેવી પડશે તે જોવું રહ્યું.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…