સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વસ્તડી (Vastadi) અને ચુડા વચ્ચે ભોગાવો નદી પર આવેલા પુલના નવીનીકરણની કામગીરીને પગલે વડોદ ડેમ (Vadod Dam) ખાલી કરી નાખવામાં આવતા પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તંત્ર
દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલ (Bridge) બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આ માટે ડેમના તળિયા ઝાટક કરી દેવાતા સ્થાનિક રહીશો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદ ડેમ ખાલી થવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ગણાતા વસ્તડી ગામની 10,000ની વસ્તીને પીવાના પાણી (Drinking Water) માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં સૌની યોજના (SAUNI Yojana) હેઠળ પાઇપલાઇન ન હોવાથી હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કુવામાંથી પાણી ખેંચીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વસ્તડીના સરપંચ મીનાબા ગોહિલે જણાવ્યું કે ઉનાળામાં પાણીના તળ નીચા જતા હવે કુવામાંથી પણ પૂરતું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ, ડેમનું પાણી ખાલી કરી દેવાતા બોડિયા, રાસકા, ઉઘલ અને બલદાણા જેવા 5 થી વધુ ગામોમાં સિંચાઈ (Irrigation) માટે પાણી મળતું બંધ થઈ ગયું છે. જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમનો પાક પિયત વગર સુકાવા લાગ્યો છે. તંત્રએ પુલના કામ માટે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કર્યા વિના ડેમ ખાલી કરી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…