સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વસ્તડી (Vastadi) અને ચુડા વચ્ચે ભોગાવો નદી પર આવેલા પુલના નવીનીકરણની કામગીરીને પગલે વડોદ ડેમ (Vadod Dam) ખાલી કરી નાખવામાં આવતા પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તંત્ર
દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલ (Bridge) બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આ માટે ડેમના તળિયા ઝાટક કરી દેવાતા સ્થાનિક રહીશો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદ ડેમ ખાલી થવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ગણાતા વસ્તડી ગામની 10,000ની વસ્તીને પીવાના પાણી (Drinking Water) માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં સૌની યોજના (SAUNI Yojana) હેઠળ પાઇપલાઇન ન હોવાથી હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કુવામાંથી પાણી ખેંચીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વસ્તડીના સરપંચ મીનાબા ગોહિલે જણાવ્યું કે ઉનાળામાં પાણીના તળ નીચા જતા હવે કુવામાંથી પણ પૂરતું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ, ડેમનું પાણી ખાલી કરી દેવાતા બોડિયા, રાસકા, ઉઘલ અને બલદાણા જેવા 5 થી વધુ ગામોમાં સિંચાઈ (Irrigation) માટે પાણી મળતું બંધ થઈ ગયું છે. જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમનો પાક પિયત વગર સુકાવા લાગ્યો છે. તંત્રએ પુલના કામ માટે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કર્યા વિના ડેમ ખાલી કરી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…