સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વસ્તડી (Vastadi) અને ચુડા વચ્ચે ભોગાવો નદી પર આવેલા પુલના નવીનીકરણની કામગીરીને પગલે વડોદ ડેમ (Vadod Dam) ખાલી કરી નાખવામાં આવતા પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તંત્ર
દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલ (Bridge) બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આ માટે ડેમના તળિયા ઝાટક કરી દેવાતા સ્થાનિક રહીશો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદ ડેમ ખાલી થવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ગણાતા વસ્તડી ગામની 10,000ની વસ્તીને પીવાના પાણી (Drinking Water) માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં સૌની યોજના (SAUNI Yojana) હેઠળ પાઇપલાઇન ન હોવાથી હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કુવામાંથી પાણી ખેંચીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વસ્તડીના સરપંચ મીનાબા ગોહિલે જણાવ્યું કે ઉનાળામાં પાણીના તળ નીચા જતા હવે કુવામાંથી પણ પૂરતું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ, ડેમનું પાણી ખાલી કરી દેવાતા બોડિયા, રાસકા, ઉઘલ અને બલદાણા જેવા 5 થી વધુ ગામોમાં સિંચાઈ (Irrigation) માટે પાણી મળતું બંધ થઈ ગયું છે. જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમનો પાક પિયત વગર સુકાવા લાગ્યો છે. તંત્રએ પુલના કામ માટે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કર્યા વિના ડેમ ખાલી કરી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…