સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નાગરિક સહકારી બેંક પોતાની કામગીરીને લઈને ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. બેંકના સભાસદ વિક્રમભાઈ રબારી દ્વારા બેંક દ્વારા ખરીદવામાં આવેલા એટીએમ (ATM) અને સ્કેનિંગ મશીનોના ખર્ચ અને ખરીદી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આ મશીનો કયા આધારે ખરીદાયા અને તેમાં બેંકના કેટલા નાણાંનો વપરાશ થયો તે અંગેની પારદર્શક વિગતો માંગવામાં આવી હતી. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળી દ્વારા પાટડી નાગરિક બેંકને લેખિતમાં જાણ કરી વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં બેંક તંત્ર દ્વારા સરકારી કચેરીને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. વહીવટી તંત્રને પણ વિગતો ન આપતા હવે આ ખરીદીમાં મોટા પાયે ગોલમાલ અને ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા દ્રઢ બની છે. આગામી દિવસોમાં આ મામલે રજિસ્ટ્રાર કચેરી દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…