Lakhtar

લખતરની તનમનીયા પ્રાથમિક શાળામાં ‘પ્રગતિ’ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ 18 કૃતિઓ રજૂ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી તનમનીયા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પ્રગતિ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ખાસ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી વિવિધ કલા અને શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 18 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં સરસ્વતી વંદના, લોકનૃત્ય, સામાજિક નાટક, દેશભક્તિ ગીતો અને ખાસ આકર્ષણ રૂપ ‘યોગા વિથ ડાન્સ’નો સમાવેશ થાય છે.

બાળકો દ્વારા રજૂ કરાયેલા સાહસિક પિરામિડ્સ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 10 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું SMC સભ્યો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં શિક્ષક સંઘના પ્રમુખ બ્રીજરાજસિંહ, મંત્રી કનુભાઈ, ગામના સરપંચ, તલાટી અવનીબેન અને CRC જૈમીનીબેન પટેલ સહિત લખતર ક્લસ્ટર-2 ના આચાર્યો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય વિસાણીયા જાગૃતિબેન જે. ના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ મિત્રોના સહયોગથી આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
surendranagarupdate1@gmail.com

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago