સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બદલીઓના પગલે અન્ય જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગર આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવી છે.
આ ફેરફારનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
નવી નિમણૂકો મુજબ, (1) સુરતથી આવેલા જીતેન્દ્રસિંહ રાઠોડને આણંદપુર-ભાડલા (તા.ચોટીલા) (2) દાહોદથી આવેલા રાજેન્દ્રકુમાર બારૈયાને મુળી પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. (3) દાહોદથી બદલી થઈને આવેલા ગિરિરાજસિંહ પરમારને લીંબડી, (4) જ્યારે ભરૂચથી આવેલા ડેનિસ ક્રિશ્ચિયનને ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. (5) અમદાવાદ શહેરથી આવેલા હરદીપસિંહ જાડેજાને સુરેન્દ્રનગર B-ડિવિઝન અને (6) ભરૂચથી આવેલા વિજયસિંહને થાનગઢ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
આ સાથે જ અત્યાર સુધી વધારાનો ચાર્જ સંભાળતા અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. (1) ધાંગધ્રા સીટીનો ચાર્જ PSI એન. એચ. ચુડાસમા પાસેથી, (2) થાનગઢનો ચાર્જ જે. એન. સોલંકી પાસેથી અને (3) લીંબડીનો ચાર્જ PSI એન. એ. ડાભી પાસેથી પરત લેવાયો છે. તમામ 6 નવા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતપોતાના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરજ સંભાળવા આદેશ અપાયા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…