લખતર તાલુકાના કડુ ગામે હાઈવે પર આવેલી બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષો પર રહેલા ભમરિયા મધના પૂડા અચાનક ઉડતા મધમાખીઓએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં 10થી વધુ લોકોને ગંભીર ડંખ વાગતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા લખતરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મધમાખીઓનો આતંક એટલો પ્રબળ હતો કે હાઈવે પરથી પસાર થતા બાઈક ચાલકો પોતાનો જીવ બચાવવા માટે વાહનો રસ્તા પર જ મૂકીને નજીકના તળાવના પાણીમાં કૂદી પડ્યા હતા.
આ ઘટનાને કારણે બસ સ્ટેન્ડ આસપાસના લારી-ગલ્લાના વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ કરી દેવાની ફરજ પડી હતી. કડુ ગામ પાસે અવારનવાર સર્જાતી આ સમસ્યાને કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…