લખતર તાલુકાના કડુ ગામે હાઈવે પર આવેલી બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષો પર રહેલા ભમરિયા મધના પૂડા અચાનક ઉડતા મધમાખીઓએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં 10થી વધુ લોકોને ગંભીર ડંખ વાગતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા લખતરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મધમાખીઓનો આતંક એટલો પ્રબળ હતો કે હાઈવે પરથી પસાર થતા બાઈક ચાલકો પોતાનો જીવ બચાવવા માટે વાહનો રસ્તા પર જ મૂકીને નજીકના તળાવના પાણીમાં કૂદી પડ્યા હતા.
આ ઘટનાને કારણે બસ સ્ટેન્ડ આસપાસના લારી-ગલ્લાના વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ કરી દેવાની ફરજ પડી હતી. કડુ ગામ પાસે અવારનવાર સર્જાતી આ સમસ્યાને કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) નો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે…
ચોટીલાના દેવસર (Devsar) ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો હોવાનું સામે…
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…