લખતર તાલુકાના કડુ ગામે હાઈવે પર આવેલી બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષો પર રહેલા ભમરિયા મધના પૂડા અચાનક ઉડતા મધમાખીઓએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં 10થી વધુ લોકોને ગંભીર ડંખ વાગતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા લખતરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મધમાખીઓનો આતંક એટલો પ્રબળ હતો કે હાઈવે પરથી પસાર થતા બાઈક ચાલકો પોતાનો જીવ બચાવવા માટે વાહનો રસ્તા પર જ મૂકીને નજીકના તળાવના પાણીમાં કૂદી પડ્યા હતા.
આ ઘટનાને કારણે બસ સ્ટેન્ડ આસપાસના લારી-ગલ્લાના વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ કરી દેવાની ફરજ પડી હતી. કડુ ગામ પાસે અવારનવાર સર્જાતી આ સમસ્યાને કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…