સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખનીજ ચોરીની સમસ્યા વકરતી જઈ રહી છે. ખાસ કરીને બજાણા અને સવલાસ ગામની હદમાં આવેલી સરકારી જમીનો પર ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરીને મોટા પાયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે.
આ અંગે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, જ્યાં આ ખનન ચાલી રહ્યું છે તેની તદ્દન નજીક જ વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ્ય આવેલું છે.
સુરક્ષિત વિસ્તાર હોવા છતાં દિવસ-રાત જેસીબી અને ડમ્પરો દ્વારા કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ ડમ્પર અને ભારે વાહનો લઈ જવા માટે ખેતરોની નજીકથી ગેરકાયદેસર રસ્તાઓ બનાવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.
તંત્રને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સરકારી જમીનનું ધોવાણ થવાથી પર્યાવરણને પણ મોટું જોખમ ઊભું થયું છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ખાણ ખનીજ વિભાગ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરે. જો આગામી દિવસોમાં આ ખનન બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…