Surendranagar

નર્મદા વિભાગની બેદરકારી: કેનાલો બંધ કરવાની ખોટી સૂચનાથી સુરેન્દ્રનગરના ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરી શક્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં કેનાલો રિપેરિંગ માટે બંધ કરવામાં આવશે તેવી અધિકારીઓની વારંવારની ટકોર અને સૂચનાઓને કારણે ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું ટાળ્યું હતું.

તંત્ર દ્વારા ખેડૂતોને સ્પષ્ટ જણાવાયું હતું કે માર્ચ પછી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં થાય. જોકે, વાસ્તવિકતા એ છે કે હાલમાં એપ્રિલ મહિનો હોવા છતાં નર્મદાની તમામ કેનાલો ચાલુ છે અને તેમાં પાણી બે કાંઠે વહી રહ્યું છે, પરંતુ વાવેતરની સીઝન વીતી ગઈ હોવાથી હવે ખેડૂતો માટે વાવણી શક્ય નથી.

ખેતીવાડી વિભાગના આંકડા મુજબ, જિલ્લાની 6 લાખ હેક્ટર વાવેતર લાયક જમીન પૈકી માત્ર 32,000 હેક્ટર જમીનમાં જ ઉનાળુ પાકનું વાવેતર થયું છે. અધિકારીઓના ખોટા દાવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અપાયેલી ગેરમાર્ગે દોરતી માહિતીને લીધે લાખો હેક્ટર જમીન પડતર રહી ગઈ છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણીના માહોલમાં ખેડૂતોને રાજી રાખવા માટે કેનાલો ચાલુ રાખવામાં આવી છે, પરંતુ જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન ન કરવું પડત. સિંચાઈની સુવિધા હોવા છતાં તંત્રની અસ્પષ્ટ નીતિને કારણે ખેડૂતોને ચાલુ વર્ષે ઉનાળુ પાકની મોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. રિપેરિંગના નામે ખેડૂતોને ગુમરાહ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago