સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી છે. આ કુદરતી આફતને કારણે મીઠું પકવતા અગરિયાઓના સોલાર પેનલ, રહેણાંક ઝૂંપડા અને તૈયાર થયેલા મીઠાના જથ્થાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
આ ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે રણમાં આવેલ વચ્છરાજ દાદાના મંદિર ખાતે ‘અગરિયા હિત રક્ષક મંચ’ની અધ્યક્ષતામાં એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં 500 થી વધુ અગરિયાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાવાઝોડાના કારણે અગરિયા દીઠ અંદાજે 2 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. અગરિયા આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ કે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી.
એટલું જ નહીં, વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો કોઈ સત્તાવાર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો નથી. અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખે તાત્કાલિક ધોરણે સહાયનો પરિપત્ર જાહેર કરવા અને પિડીત પરિવારોને વળતર ચૂકવવા માંગ કરી છે. જો સરકાર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો અગરિયા સમુદાય આગામી સમયમાં રજૂઆતના અન્ય માર્ગો અપનાવશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…