સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચોટીલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે, જેમાં મોકાસર અને ઝીંઝુડા સહિતના ગામોના 20 થી વધુ વરિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાવાનો નિર્ણય કર્યો છે.
વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા આ કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપી આપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં ભંગાણ સર્જાયું છે. ચોટીલા પંથકમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ તરફી મજબૂત પકડ ધરાવતા કાર્યકર્તાઓ હવે આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.
આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરોનું આપમાં જોડાવું તે આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. ચૂંટણી પહેલા પક્ષ પલટાની આ મોસમમાં કોંગ્રેસને પોતાનું સંગઠન સાચવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…