સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચોટીલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે, જેમાં મોકાસર અને ઝીંઝુડા સહિતના ગામોના 20 થી વધુ વરિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાવાનો નિર્ણય કર્યો છે.
વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા આ કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપી આપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં ભંગાણ સર્જાયું છે. ચોટીલા પંથકમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ તરફી મજબૂત પકડ ધરાવતા કાર્યકર્તાઓ હવે આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.
આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરોનું આપમાં જોડાવું તે આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. ચૂંટણી પહેલા પક્ષ પલટાની આ મોસમમાં કોંગ્રેસને પોતાનું સંગઠન સાચવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…