સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચોટીલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે, જેમાં મોકાસર અને ઝીંઝુડા સહિતના ગામોના 20 થી વધુ વરિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાવાનો નિર્ણય કર્યો છે.
વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા આ કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપી આપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં ભંગાણ સર્જાયું છે. ચોટીલા પંથકમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ તરફી મજબૂત પકડ ધરાવતા કાર્યકર્તાઓ હવે આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.
આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરોનું આપમાં જોડાવું તે આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. ચૂંટણી પહેલા પક્ષ પલટાની આ મોસમમાં કોંગ્રેસને પોતાનું સંગઠન સાચવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…