Subscribe for notification
Categories: Dhrangadhra

ધ્રાંગધ્રા પાલિકા એક્શન મોડમાં: 1 કરોડની વેરા વસૂલાત માટે 1,500 બાકીદારોને નોટિસ, નળ કનેક્શન કાપવાની ચીમકી

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના મિલકત વેરો, પાણી વેરો અને લાઈટ વેરા પેટે લાંબા સમયથી અંદાજે 1 કરોડ રૂપિયાની રકમ બાકી હોવાથી માર્ચ મહિનાના અંત પૂર્વે ઉઘરાણી તેજ કરવામાં આવી છે.

ચીફ ઓફિસર મંન્ટીલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકાની જુદી જુદી ટીમો બનાવીને અંદાજે 1,500 જેટલા બાકીદારોને રૂબરૂ મળીને તાત્કાલિક બિલ ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે.

નગરપાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો બાકીદારો દ્વારા સમયસર વેરો ભરવામાં નહીં આવે, તો જરૂર પડ્યે તેમના નળ કનેક્શન કાપી નાખવા જેવી સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા માટે શહેરમાં રિક્ષા દ્વારા જાહેરાતો અને ઠેર-ઠેર બોર્ડ લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પાલિકાની આ આક્રમક ઉઘરાણીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વેરાના બિલ ભરવા માટે લોકોની દોડધામ વધી છે.

પાલિકાના કર્મચારીઓ દ્વારા વોર્ડ વાઈઝ લિસ્ટ તૈયાર કરી રૂબરૂ સંપર્ક શરૂ કરાતા વસૂલાતની કામગીરીમાં ગતિ આવી છે. તંત્રનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષના અંત સુધીમાં મહત્તમ બાકી રકમ જમા કરાવવાનો છે, જેથી શહેરના વિકાસ કામોમાં અવરોધ ન આવે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago