Dasada-Patdi

દસાડા: બજાણા ફાટક પાસે ડમ્પર અને ST બસ વચ્ચે અકસ્માત, વાહન ચાલકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા રેલ્વે ફાટક પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને એસ.ટી. (ST) બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં એસ.ટી. બસના ચાલક અને ડમ્પર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ એસ.ટી. બસ 31 માર્ચ 2026 ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી. બસ કાર્યક્રમના સ્થળ પર પૂર્વ તૈયારી રૂપે જઈ રહી હતી તે દરમિયાન બજાણા ફાટક પાસે આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે, અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફરો સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જે એક રાહતના સમાચાર છે.

અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેઈનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં દસાડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા જ સરકારી બસને નડેલા અકસ્માતે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચાવી દીધી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago