Chotila

વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમનો મહિમા અનેરો છે. આગામી ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા અને ધજા ચડાવવા માટે હાલ ગુજરાતભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

ખાસ કરીને વિરમગામ, લખતર અને સુરેન્દ્રનગર હાઈવે પર છેલ્લા 2 દિવસથી પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા અને કડી-કલોલ જેવા વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા જવા રવાના થયા છે.

ઝાલાવાડના રસ્તાઓ હાલ ‘ચામુંડા માત કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. વિઠ્ઠલગઢ, છારદ, ઓળક, કડુ અને ગેથળા હનુમાન મંદિર જેવા સ્થળોએ સેવાભાવી ગૃપો દ્વારા પદયાત્રીઓ માટે જમવા, નાસ્તો, ચા-પાણી અને આરામની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પોમાં ઠંડા તરબૂચ, આઈસ્ક્રીમ, લસ્સી અને શેરડીના રસ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉનાળાના ધોમધખતા તાપમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ અત્યંત ઉત્સાહ સાથે પદયાત્રા કરી રહ્યા છે. સેવા કેમ્પોમાં ભક્તો માટે દવાઓ અને મોબાઈલ ચાર્જિંગ જેવી પાયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પદયાત્રીઓએ સેવાભાવી સંસ્થાઓની આ કામગીરીને બિરદાવી છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લખતર પંથકમાં હાલ ભક્તિમય માહોલ છવાયો છે અને માઈભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago