Surendranagar

દસાડામાં AAPની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની યોગ્યતાને બદલે ‘આર્થિક ક્ષમતા’ પર ભાર મૂકાતા કાર્યકરોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દસાડા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જોકે, આ પ્રક્રિયા દરમિયાન પક્ષના નેતાઓએ ઉમેદવારોની લોકપ્રિયતા કે કામગીરીને બદલે તેમની આર્થિક સ્થિતિ પર સવાલો કરતા મોટો વિવાદ સર્જાયો છે. બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં ઈચ્છુક ઉમેદવારોને “ચૂંટણીમાં કેટલો ખર્ચ કરી શકશો?” તેવા પ્રશ્નો પૂછાતા કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.

ચાલુ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની કવાયત તેજ કરી છે. દસાડામાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓ સમક્ષ જ્યારે કાર્યકરો સેન્સ આપવા પહોંચ્યા, ત્યારે તેમને પક્ષ માટેના સમર્પણને બદલે નાણાકીય પાસાઓ વિશે પૂછપરછ કરવામાં આવી હતી.

નિયમ મુજબ લોકસેવા કરતા અને જનતાની વચ્ચે રહેતા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની સૂચના હોવા છતાં, આર્થિક આકારણીને મહત્વ અપાતા પક્ષની આંતરિક શિસ્ત પર સવાલો ઉઠ્યા છે.

આ ઘટનાને પગલે દસાડા AAPના વફાદાર કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોનું કહેવું છે કે જો માત્ર આર્થિક સધ્ધરતા જોઈને જ ટિકિટ આપવામાં આવશે, તો સામાન્ય અને મહેનતુ કાર્યકર અન્યાયનો ભોગ બનશે.

હજુ ઉમેદવારોના નામ નક્કી થાય તે પહેલા જ “કેટલા રૂપિયા ખર્ચશો?” જેવા સવાલોએ વિવાદને ચરમસીમાએ પહોંચાડ્યો છે. આ વિવાદની અસર આગામી ચૂંટણી પ્રચાર અને સંગઠનની એકતા પર પડી શકે તેમ છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago