થાન તાલુકામાં છેલ્લા 1 મહિનાથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થાનના જામવાડી ગામની સીમમાં દીપડાએ વધુ એક પશુનું મારણ કરતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પશુપાલક જયેશભાઈ મફાભાઈ અલગોતરની ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી થાનના સોનગઢ ગામની સીમમાં પણ દીપડાએ કહેર મચાવ્યો છે.
અત્યાર સુધીમાં અંદાજે 08 થી વધુ પશુઓ દીપડાનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા અવાલિયા ઠાકરની જગ્યા પાસેથી એક ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ જામવાડીમાં થયેલા નવા હુમલાએ સાબિત કર્યું છે કે હજુ પણ અન્ય દીપડાઓ આ વિસ્તારમાં સક્રિય છે. વન્ય પ્રાણીઓના સતત હુમલાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી છે. લોકોની મુખ્ય માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકીને આ નરભક્ષી દીપડાને પકડવામાં આવે. આ ઉપરાંત, જે પશુપાલકોના પશુઓનું મારણ થયું છે તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ખેતરોમાં કામ કરતા મજૂરો અને પશુ ચરાવવા જતા ગોવાળોમાં અત્યારે જીવનું જોખમ હોવાથી તંત્ર વહેલી તકે પગલાં ભરે તે જરૂરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…