થાન તાલુકામાં છેલ્લા 1 મહિનાથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થાનના જામવાડી ગામની સીમમાં દીપડાએ વધુ એક પશુનું મારણ કરતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પશુપાલક જયેશભાઈ મફાભાઈ અલગોતરની ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી થાનના સોનગઢ ગામની સીમમાં પણ દીપડાએ કહેર મચાવ્યો છે.
અત્યાર સુધીમાં અંદાજે 08 થી વધુ પશુઓ દીપડાનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા અવાલિયા ઠાકરની જગ્યા પાસેથી એક ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ જામવાડીમાં થયેલા નવા હુમલાએ સાબિત કર્યું છે કે હજુ પણ અન્ય દીપડાઓ આ વિસ્તારમાં સક્રિય છે. વન્ય પ્રાણીઓના સતત હુમલાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી છે. લોકોની મુખ્ય માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકીને આ નરભક્ષી દીપડાને પકડવામાં આવે. આ ઉપરાંત, જે પશુપાલકોના પશુઓનું મારણ થયું છે તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ખેતરોમાં કામ કરતા મજૂરો અને પશુ ચરાવવા જતા ગોવાળોમાં અત્યારે જીવનું જોખમ હોવાથી તંત્ર વહેલી તકે પગલાં ભરે તે જરૂરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…