થાન તાલુકામાં છેલ્લા 1 મહિનાથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થાનના જામવાડી ગામની સીમમાં દીપડાએ વધુ એક પશુનું મારણ કરતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પશુપાલક જયેશભાઈ મફાભાઈ અલગોતરની ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી થાનના સોનગઢ ગામની સીમમાં પણ દીપડાએ કહેર મચાવ્યો છે.
અત્યાર સુધીમાં અંદાજે 08 થી વધુ પશુઓ દીપડાનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા અવાલિયા ઠાકરની જગ્યા પાસેથી એક ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ જામવાડીમાં થયેલા નવા હુમલાએ સાબિત કર્યું છે કે હજુ પણ અન્ય દીપડાઓ આ વિસ્તારમાં સક્રિય છે. વન્ય પ્રાણીઓના સતત હુમલાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી છે. લોકોની મુખ્ય માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકીને આ નરભક્ષી દીપડાને પકડવામાં આવે. આ ઉપરાંત, જે પશુપાલકોના પશુઓનું મારણ થયું છે તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ખેતરોમાં કામ કરતા મજૂરો અને પશુ ચરાવવા જતા ગોવાળોમાં અત્યારે જીવનું જોખમ હોવાથી તંત્ર વહેલી તકે પગલાં ભરે તે જરૂરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…