રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલાથી થોડે દૂર જોલી એન્જોય વોટર પાર્ક પાસે ઉભેલા ટ્રક પાછળ કાર અને પીકઅપ વાન ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શહેરી વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. મૃતકોમાં 28 વર્ષીય સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર અને 16 વર્ષીય આશિષ રણજીતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ કલ્પેશભાઈ ઠાકોર (29), હર્ષદભાઈ ઠાકોર (30) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…