Thangadh

થાનમાં મિની વાવાઝોડામાં 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડ્યા, લાખોનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.

ગત તા. 20 ના રોજ ફૂંકાયેલા જોરદાર પવનને કારણે થાન શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા અંદાજે 20 થી વધુ સિરામિક એકમોના શેડના પતરા હવામાં ઉડી ગયા હતા. આ કુદરતી આફતને કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વાવાઝોડાની સાથે વરસાદ ખાબકતા સિરામિક ફેક્ટરીઓમાં રાખેલો કાચો માલ અને મશીનરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, વીજળીના થાંભલા ધરાશાયી થતાં અનેક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને મંદીને કારણે થાનનો સિરામિક ઉદ્યોગ પહેલેથી જ સંકટમાં હતો, ત્યારે હવે કુદરતના આ પ્રકોપે ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જી છે.

સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક લઘુ ઉદ્યોગો હવે બંધ થવાની અણી પર છે. આ કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગકારોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવીને ખાસ આર્થિક પેકેજ (Special Package) જાહેર કરવાની માંગ કરી છે, જેથી આ ઐતિહાસિક ઉદ્યોગને ફરી બેઠો કરી શકાય.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago