સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા 6 મહિનાથી મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે.
આ બિસ્માર રસ્તાના કારણે દરરોજ 10,000થી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો અમિતભાઈ અને ધર્મેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, વર્ષોથી આ રસ્તો ખરાબ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખેતી અને રોજગાર માટે આ મુખ્ય માર્ગ હોવા છતાં, ચોમાસામાં કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે વાહન ચલાવવું અશક્ય બની જાય છે. ઘણીવાર દર્દીઓ અને મુસાફરોને લાંબો ફેરો કરીને ગંતવ્ય સ્થાને પહોંચવું પડે છે.
જો આ 10 કિમીનો રસ્તો નવો બનાવવામાં આવે તો ટીંબા, ગોમટા, ખારવા અને બલદાણા જેવા પાંચથી વધુ ગામોના લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે હવે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…