ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ભૂર્ગભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ વિસ્તારમાં વસતા 1,000થી વધુ નાગરિકો ગંદકી અને અસહ્ય દુર્ગંધના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો વશરામભાઈ રબારી, ગલાલભાઈ અને ધીરૂભાઈ સહિતના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં 5 દિવસ વીતવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ગટરના પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, પીવાના પાણીના નળમાં પણ ગટરનું પ્રદૂષિત પાણી મિશ્રિત થઈને આવી રહ્યું છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…