ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ભૂર્ગભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ વિસ્તારમાં વસતા 1,000થી વધુ નાગરિકો ગંદકી અને અસહ્ય દુર્ગંધના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો વશરામભાઈ રબારી, ગલાલભાઈ અને ધીરૂભાઈ સહિતના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં 5 દિવસ વીતવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ગટરના પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, પીવાના પાણીના નળમાં પણ ગટરનું પ્રદૂષિત પાણી મિશ્રિત થઈને આવી રહ્યું છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…