Thangadh

થાનગઢ સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ: ગેસના ભાવ વધારા અને નવા સ્લેબ સામે ઉદ્યોગકારોનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગના હબ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને ગેસ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા જટિલ સ્લેબના વિરોધમાં ઉદ્યોગકારોએ આગામી 1 મે સુધી કારખાનાઓ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આ હડતાળના કારણે થાનગઢના 250 થી વધુ એકમોને તાળા લાગી ગયા છે અને અંદાજે 40,000 થી વધુ શ્રમિકો બેરોજગાર થઈ વતન પરત ફર્યા છે. ગેસના નવા સ્લેબ મુજબ, 50% વપરાશ માટે 53 રૂપિયા, 30% માટે 75 રૂપિયા અને 20% માટે 85 રૂપિયાનો દર નક્કી કરાયો છે.

જોકે, ઉદ્યોગકારોનું કહેવું છે કે આ સ્લેબ સિસ્ટમ અને અન્ય ચાર્જ ઉમેરાતા ઉત્પાદન ખર્ચ (Costing) ખૂબ જ વધી જાય છે, જે આજના સ્પર્ધાત્મક યુગમાં પરવડે તેમ નથી. વધુમાં, મિડલ ઈસ્ટના દેશો વચ્ચેના તણાવને કારણે વિદેશી વેપાર પર પણ માઠી અસર પડી છે.

પાંચાલ સિરામિક ઉદ્યોગ એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગેસ કંપનીને રજૂઆત કરવામાં આવી છે કે નવા સ્લેબનો અમલ 09 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવે. ઉદ્યોગકારોના મતે, છેલ્લા 15 દિવસથી ફેક્ટરીઓ બંધ હોવાથી મોટાભાગના મજૂરો પરપ્રાંતમાં જઈ ચુક્યા છે, જેના કારણે ઉત્પાદન તાત્કાલિક શરૂ કરવું અશક્ય છે. ટનલ ભઠ્ઠી શરૂ કરવા માટે પણ 3 થી 4 દિવસનો સમય લાગે છે. આ ગૂંચવણભરી પરિસ્થિતિને ઉકેલવા અને જૂની કોન્ટીટીને ધ્યાને લેવાની માંગ સાથે ઉદ્યોગકારોએ 1 મે સુધી સ્વૈચ્છિક વેકેશન જાહેર કર્યું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago