Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચૂંટણી: આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન ન થતા હવે ‘આપ’ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. પક્ષ દ્વારા જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ યાદીમાં બજાણા બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકી, ચુડાથી સુરેશભાઈ લીંબડીયા અને લખતરથી ક્ષમતાબેન મકવાણાના નામ મુખ્ય છે. આ સિવાય ગુજરવદી, ખારાઘોડા, મેમકા, સીતાપુર, સારા, સાયલા, વણોદ અને વિઠ્ઠલગઢ બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરાયા છે.

મહત્વનું છે કે, પ્રથમ યાદીના 11 ઉમેદવારોમાંથી 05 ઉમેદવારો દસાડા વિધાનસભા વિસ્તારની બેઠકો પરથી પસંદ કરવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં ઉમેદવારોને પ્રચાર માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી આ વહેલી જાહેરાત કરવામાં આવી છે.

બાકી રહેલી 21 બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago