સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢ-નવાગામ રોડ પર આવેલી અંકિતા સિરામિક (Ankita Ceramic) ફેક્ટરીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલો સેનિટરીવેરનો લાખો રૂપિયાનો તૈયાર માલ (Stock) બળીને ખાખ થઈ ગયો છે. ઉદ્યોગકારોએ વિદેશ નિકાસ (Export) માટે સંગ્રહ કરેલો માલ નાશ પામતા મોટું આર્થિક નુકસાન થયું છે.
આગની તીવ્રતા એટલી વધુ હતી કે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ (Major Call) જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ થાનગઢ, ચોટીલા અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડ (Fire Brigade) ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short Circuit) હોવાનું અનુમાન છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સીરામીક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…