Surendranagar

સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરી બની ‘દુવિધા કચેરી’: ધોમધખતા તાપમાં અરજદારો કલાકો સુધી રઝળ્યા

સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપરના રહીશોને સરકારી કામકાજમાં સુવિધા રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ સિટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ, હાલમાં આ કચેરી અરજદારો માટે સુવિધાને બદલે દુવિધાનું કેન્દ્ર બની ગઈ છે.

એપ્રિલ 2026 ની કાળઝાળ ગરમીમાં દૂર-દૂરથી આવતા અરજદારોને કચેરીમાં તાળા જોવા મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે જ્યારે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે મહેસૂલ તલાટીની કચેરી બંધ કરી કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાની બુમરાણ ઉઠી હતી.

સ્થાનિક રહીશો અને મહિલા અરજદારોએ આક્ષેપ કર્યો છે કે કચેરીના સમય દરમિયાન પણ કર્મચારીઓ પોતાની સીટ પર હાજર રહેવાને બદલે બહાર આંટાફેરા મારતા હોય છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ ન થતા મહિલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ ગંભીર બેદરકારીને પગલે અરજદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે કચેરીના સમયનું ચુસ્તપણે પાલન થાય અને કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહે તેવા કડક આદેશો આપવામાં આવે. સરકારી તંત્રની આ ઢીલી નીતિને કારણે સામાન્ય જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago