સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વસ્તડી (Vastadi) અને ચુડા વચ્ચે ભોગાવો નદી પર આવેલા પુલના નવીનીકરણની કામગીરીને પગલે વડોદ ડેમ (Vadod Dam) ખાલી કરી નાખવામાં આવતા પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તંત્ર
દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલ (Bridge) બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આ માટે ડેમના તળિયા ઝાટક કરી દેવાતા સ્થાનિક રહીશો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદ ડેમ ખાલી થવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ગણાતા વસ્તડી ગામની 10,000ની વસ્તીને પીવાના પાણી (Drinking Water) માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં સૌની યોજના (SAUNI Yojana) હેઠળ પાઇપલાઇન ન હોવાથી હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કુવામાંથી પાણી ખેંચીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વસ્તડીના સરપંચ મીનાબા ગોહિલે જણાવ્યું કે ઉનાળામાં પાણીના તળ નીચા જતા હવે કુવામાંથી પણ પૂરતું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ, ડેમનું પાણી ખાલી કરી દેવાતા બોડિયા, રાસકા, ઉઘલ અને બલદાણા જેવા 5 થી વધુ ગામોમાં સિંચાઈ (Irrigation) માટે પાણી મળતું બંધ થઈ ગયું છે. જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમનો પાક પિયત વગર સુકાવા લાગ્યો છે. તંત્રએ પુલના કામ માટે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કર્યા વિના ડેમ ખાલી કરી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…