Wadhwan

સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કોઠારીયા ગામ આજે સમગ્ર ગુજરાતમાં માનવતા અને પશુસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સ્વ. વજા ભગત દ્વારા શરૂ કરવામાં આવેલી અબોલ જીવોની સેવા આજે પણ રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા અવિરત ચાલી રહી છે.

આ ગામમાં 3000ની વસ્તી સામે 1000થી વધુ ગાયોની વિશાળ ગૌશાળા આવેલી છે. અહીં રોજ સવારે 3 વાગ્યાથી 70 જેટલી મહિલાઓ દ્વારા 20 મણ લોટના રોટલા તૈયાર કરી જરૂરિયાતમંદો, અંધજનો અને સાધુ-સંતો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરરોજ 4000 લોકોને છાશ અને દર્દીઓને વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવે છે.

વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 11 એપ્રિલ 2026થી ગામમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પોથી યાત્રા, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને રુકમણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે. કથા દરમિયાન દરરોજ 1 લાખથી વધુ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કોઠારીયા અને આજુબાજુના ગામોના 1500થી વધુ સ્વયંસેવકો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. અહીં કીડીથી લઈને કુંજર સુધી તમામની સંભાળ લેવામાં આવતી હોવાથી કોઠારીયા સાચા અર્થમાં ‘ગોકુળિયું ગામ’ બન્યું છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago