સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કોઠારીયા ગામ આજે સમગ્ર ગુજરાતમાં માનવતા અને પશુસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સ્વ. વજા ભગત દ્વારા શરૂ કરવામાં આવેલી અબોલ જીવોની સેવા આજે પણ રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા અવિરત ચાલી રહી છે.
આ ગામમાં 3000ની વસ્તી સામે 1000થી વધુ ગાયોની વિશાળ ગૌશાળા આવેલી છે. અહીં રોજ સવારે 3 વાગ્યાથી 70 જેટલી મહિલાઓ દ્વારા 20 મણ લોટના રોટલા તૈયાર કરી જરૂરિયાતમંદો, અંધજનો અને સાધુ-સંતો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરરોજ 4000 લોકોને છાશ અને દર્દીઓને વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવે છે.
વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 11 એપ્રિલ 2026થી ગામમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પોથી યાત્રા, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને રુકમણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે. કથા દરમિયાન દરરોજ 1 લાખથી વધુ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કોઠારીયા અને આજુબાજુના ગામોના 1500થી વધુ સ્વયંસેવકો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. અહીં કીડીથી લઈને કુંજર સુધી તમામની સંભાળ લેવામાં આવતી હોવાથી કોઠારીયા સાચા અર્થમાં ‘ગોકુળિયું ગામ’ બન્યું છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…