સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ફૂલવાડી ગામે જમીન ખરીદીના નામે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના રહેવાસી ગૌતમભાઈ દિનકરભાઈ બ્રોકરે વર્ષ 2011 થી ઇન્વેસ્ટમેન્ટના હેતુથી સુરેન્દ્રનગરમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. પોતે ખેડૂત ન હોવાને કારણે, તેમણે વિશ્વાસના આધારે ફૂલવાડી ગામના બે ખેડૂતો મૂળજીભાઈ ભલાભાઈ સેનવા અને બોઘાભાઈ નાનુભાઈ મકવાણાના નામે દસ્તાવેજો બનાવી 45 એકર જમીન ખરીદી હતી.
જોકે, સમય જતાં આ બંને ખેડૂતોની દાનત બગડી હતી અને તેમણે અસલ માલિક ગૌતમભાઈને જમીન સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આ જમીન પોતાના પરિવારજનોના નામે વારસામાં ચડાવી દઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો ધડાકો થયો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે પાણશીણા પોલીસે બંને ખેડૂતોની અટકાયત કરી છે. લીંબડી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ 1.25 કરોડના કૌભાંડની ઊંડી તપાસ કરી રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…