સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ફૂલવાડી ગામે જમીન ખરીદીના નામે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના રહેવાસી ગૌતમભાઈ દિનકરભાઈ બ્રોકરે વર્ષ 2011 થી ઇન્વેસ્ટમેન્ટના હેતુથી સુરેન્દ્રનગરમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. પોતે ખેડૂત ન હોવાને કારણે, તેમણે વિશ્વાસના આધારે ફૂલવાડી ગામના બે ખેડૂતો મૂળજીભાઈ ભલાભાઈ સેનવા અને બોઘાભાઈ નાનુભાઈ મકવાણાના નામે દસ્તાવેજો બનાવી 45 એકર જમીન ખરીદી હતી.
જોકે, સમય જતાં આ બંને ખેડૂતોની દાનત બગડી હતી અને તેમણે અસલ માલિક ગૌતમભાઈને જમીન સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આ જમીન પોતાના પરિવારજનોના નામે વારસામાં ચડાવી દઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો ધડાકો થયો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે પાણશીણા પોલીસે બંને ખેડૂતોની અટકાયત કરી છે. લીંબડી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ 1.25 કરોડના કૌભાંડની ઊંડી તપાસ કરી રહ્યા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…