Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર PGVCLએ 1.33 કરોડની વસૂલાત કરી, 64 વીજ જોડાણો કાપ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા જ વીજ વિભાગ હરકતમાં આવ્યું છે અને જિલ્લામાં વધતા જતા વીજ લોસને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર શહેર સહિત 10 તાલુકાઓમાં કુલ 233 જેટલી ટીમોને મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા છેલ્લા 24 કલાકમાં જંગી કામગીરી કરીને કુલ 3,821 ગ્રાહકો પાસેથી 1.33 કરોડ રૂપિયાની બાકી રકમની વસૂલાત કરવામાં આવી છે.

જે ગ્રાહકો લાંબા સમયથી બિલની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમની સામે વીજ વિભાગે આકરા પાણીએ પગલાં લીધા છે. આ તપાસ દરમિયાન 64 જેટલા એવા ગ્રાહકો મળી આવ્યા હતા જેમણે વારંવારની નોટિસ છતાં બિલ ભર્યું નહોતું, પરિણામે સ્થળ પર જ તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.

આ ગ્રાહકો પાસે અંદાજે 4.58 લાખ રૂપિયા જેટલી રકમ લેણી નીકળતી હતી. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ 150 કરોડથી વધુની વીજ બિલની રકમ વસૂલવાની બાકી છે, જેને પગલે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે.

વીજ વિભાગના અધિકારીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ સમયસર પોતાના વીજ બિલની ભરપાઈ કરી દે જેથી જોડાણ કપાવા જેવી અગવડતાનો સામનો ન કરવો પડે. જે એકમો કે રહેણાંક ધારકો બિલ ભરવામાં આનાકાની કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

233 ટીમોના આ ઓપરેશનથી વીજ ચોરી અને બાકી લેણાં ધરાવતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માર્ચના અંત સુધીમાં મહત્તમ વસૂલાત થાય તેવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago