સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ન ભરતા ગ્રાહકો સામે PGVCL વિભાગ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા કુલ 254 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી લેણાંની વસૂલાત કરી રહી છે.
અત્યાર સુધીમાં 4,126 જેટલા ગ્રાહકો પાસેથી અંદાજે 1.75 કરોડ રૂપિયાની બાકી વસૂલાત કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન જે ગ્રાહકોએ વારંવારની સૂચના છતાં બિલની ચુકવણી કરી નથી, તેવા 87 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે. PGVCL ના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ 25% સુધી પહોંચી ગયું છે, જે ચિંતાનો વિષય છે. હવે જે ગ્રાહકોના કનેક્શન કપાયા છે, તેમણે નવું કનેક્શન લેવા માટે દંડ ભરવો પડશે અને ફરજિયાતપણે Smart Meter નંખાવવું પડશે. તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર બિલ ભરીને કાયદેસરની કાર્યવાહીથી બચે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…