Surendranagar

સુરેન્દ્રનગર મનપામાં લોક પ્રશ્નોની રજૂઆત કરતા AAPના શહેર પ્રમુખ સહિત 4 નેતાઓની પોલીસ અટકાયત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આક્રમક રજૂઆત કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. મનપાના ડેપ્યુટી કમિશનરના PA દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે એ-ડિવિઝન પોલીસ દ્વારા ‘આપ’ના શહેર પ્રમુખ કમલેશ કોટેચા, વઢવાણ વિધાનસભા પ્રભારી દીપક ચિહલા, અતુલ વેગડ અને કૃણાલ શાહની અટકાયત કરવામાં આવી છે.

આ નેતાઓ ગણપતિ ફાટસર વિસ્તારમાં નવા રોડ-રસ્તા બનાવવા અને અન્ય વહીવટી પ્રશ્નો મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા મનપા કચેરી પહોંચ્યા હતા. મનપા સત્તાધીશોનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રજૂઆત કરવાની રીત યોગ્ય નથી અને તેનાથી સરકારી કામકાજમાં અવરોધ ઊભો થાય છે.

બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે સહિતના આગેવાનોએ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. ‘આપ’ નેતાઓનો આક્ષેપ છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, તેમને જ જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ પૂર્વ લેખિત ફરિયાદ વગર માત્ર ટેલિફોનિક સૂચનાથી નેતાઓને પોલીસ મથકે બોલાવી કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મનપાના અધિકારીઓની ફરિયાદને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પગલાં લેવાયા છે. જોકે, પોલીસ મથકે કાર્યકરો અને નેતાઓના ભારે ધમપછાડા છતાં પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી.

આગામી સમયમાં અધિકારીઓ સાથે શાંતિપૂર્ણ વર્તન કરવા અને નિયમ મુજબ રજૂઆત કરવાની સૂચના સાથે હાલ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરના રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે અને મનપા વિરુદ્ધ વિપક્ષનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago