સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરી ખાતે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોની રજૂઆતો અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાનો હતો. તાલુકાભરમાંથી આવેલા અરજદારોએ મહેસૂલ, પંચાયત અને અન્ય વહીવટી સેવાઓને લગતા પ્રશ્નો પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.
પ્રાંત અધિકારીએ તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે સામાન્ય જનતાના કામોમાં બિનજરૂરી વિલંબ ન થાય અને લોકોની સમસ્યાઓનું ઝડપી સમાધાન લાવવામાં આવે.
આ બેઠકમાં લખતર મામલતદાર, પીઆઈ સહિત તાલુકાના વિવિધ સરકારી વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા. પારદર્શક વહીવટ અને લોકોની હાલાકી દૂર કરવા માટેના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો હતો. આગામી દિવસોમાં પણ બાકી રહેલી અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…