સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરી ખાતે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોની રજૂઆતો અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાનો હતો. તાલુકાભરમાંથી આવેલા અરજદારોએ મહેસૂલ, પંચાયત અને અન્ય વહીવટી સેવાઓને લગતા પ્રશ્નો પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.
પ્રાંત અધિકારીએ તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે સામાન્ય જનતાના કામોમાં બિનજરૂરી વિલંબ ન થાય અને લોકોની સમસ્યાઓનું ઝડપી સમાધાન લાવવામાં આવે.
આ બેઠકમાં લખતર મામલતદાર, પીઆઈ સહિત તાલુકાના વિવિધ સરકારી વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા. પારદર્શક વહીવટ અને લોકોની હાલાકી દૂર કરવા માટેના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો હતો. આગામી દિવસોમાં પણ બાકી રહેલી અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…