સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરી પ્રજાલક્ષી સુવિધાઓના મોટા દાવા કરવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
શહેરના જવાહર રોડ પર આવેલી સરદાર સોસાયટી નજીક, બધેકા શાળા સામેના જૈન ઉપાશ્રય પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઈન તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ભર ઉનાળે રસ્તાઓ પર હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે.
આ ભંગાણને કારણે માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે અને અનિયમિત પાણી પુરવઠાની બૂમો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો આ પ્રકારે વેડફાટ થતા સ્થાનિકોમાં મનપાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોની માંગ છે કે મહાનગરપાલિકા તંત્ર માત્ર કાગળ પર બજેટ રજૂ કરવાને બદલે પાયાની આવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પાણીનો બગાડ અટકાવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…