સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરી પ્રજાલક્ષી સુવિધાઓના મોટા દાવા કરવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
શહેરના જવાહર રોડ પર આવેલી સરદાર સોસાયટી નજીક, બધેકા શાળા સામેના જૈન ઉપાશ્રય પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઈન તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ભર ઉનાળે રસ્તાઓ પર હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે.
આ ભંગાણને કારણે માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે અને અનિયમિત પાણી પુરવઠાની બૂમો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો આ પ્રકારે વેડફાટ થતા સ્થાનિકોમાં મનપાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોની માંગ છે કે મહાનગરપાલિકા તંત્ર માત્ર કાગળ પર બજેટ રજૂ કરવાને બદલે પાયાની આવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પાણીનો બગાડ અટકાવે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…