Surendranagar

સુરેન્દ્રનગરમાં સરદાર સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરી પ્રજાલક્ષી સુવિધાઓના મોટા દાવા કરવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.

શહેરના જવાહર રોડ પર આવેલી સરદાર સોસાયટી નજીક, બધેકા શાળા સામેના જૈન ઉપાશ્રય પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઈન તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ભર ઉનાળે રસ્તાઓ પર હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે.

આ ભંગાણને કારણે માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે અને અનિયમિત પાણી પુરવઠાની બૂમો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો આ પ્રકારે વેડફાટ થતા સ્થાનિકોમાં મનપાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોની માંગ છે કે મહાનગરપાલિકા તંત્ર માત્ર કાગળ પર બજેટ રજૂ કરવાને બદલે પાયાની આવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પાણીનો બગાડ અટકાવે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago