સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બિલ્ડિંગ ડેવલપમેન્ટનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલનું બે માળનું બિલ્ડિંગ આગામી સમયમાં ચૂંટાનારા ૫૨ કોર્પોરેટરો અને વિવિધ સમિતિના ચેરમેનો માટે અપૂરતું હોવાથી, રૂ. ૩ કરોડના ખર્ચે વધુ બે માળ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
અગાઉ જ્યાં ચેરમેનો બેસતા હતા ત્યાં હવે કમિશનરની ચેમ્બર હોવાથી નવા ચૂંટાયેલા સભ્યો માટે બેઠક વ્યવસ્થાનો અભાવ છે. આ સમસ્યાના ઉકેલ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને બે માળના બિલ્ડિંગને ચાર માળનું બનાવવાનું આયોજન નવા બજેટમાં સામેલ કરાયું છે. જોકે, આ કામગીરી પૂર્ણ થતા અંદાજે ૧ વર્ષનો સમય લાગશે, જેથી નવી બોડીને થોડો સમય રાહ જોવી પડશે. આ આધુનિક બિલ્ડિંગમાં મેયર, ચેરમેનો અને સભ્યો માટે અદ્યતન ઓફિસ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…