સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ વિસ્તારમાં વિકાસના કામો ન થતા રહીશોએ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
પૌરાણિક ગણપતિ મંદિર પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાથી નબળું કામ કરનાર એજન્સી સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ડ્રેનેજ અને ભૂગર્ભ ગટરની સુવિધામાં સુધારો નહીં કરાય, તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…