સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ વિસ્તારમાં વિકાસના કામો ન થતા રહીશોએ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
પૌરાણિક ગણપતિ મંદિર પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાથી નબળું કામ કરનાર એજન્સી સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ડ્રેનેજ અને ભૂગર્ભ ગટરની સુવિધામાં સુધારો નહીં કરાય, તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…