Surendranagar

સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, આચારસંહિતાના અમલ માટે આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

ચૂંટણી પ્રક્રિયા મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના કડક અમલ અને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના સુચારુ આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર પાયાની સુવિધાઓ, પરિવહન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે મેનપાવર મેનેજમેન્ટ અને ખર્ચ મોનિટરિંગ સેલને સક્રિય રહેવા સૂચના આપી છે.

આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે વેબકાસ્ટિંગ, વીડિયોગ્રાફી અને સાયબર સિક્યુરિટી જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન અને દિવ્યાંગ મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા વહીવટી તંત્ર હાલ ખડેપગે કામ કરી રહ્યું છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago