Surendranagar

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને વઢવાણ-સુરેન્દ્રનગર વચ્ચે ઝડપી અવરજવર માટે કરોડોના ખર્ચે બનેલા આ રિવરફ્રન્ટની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે.

ખાસ કરીને સાયન્સ કોલેજ સામેના જોખમી વળાંક પર મોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. નબળી કામગીરીને કારણે રિવરફ્રન્ટ વારંવાર વિવાદોમાં રહ્યો છે અને હવે તેના નવીનીકરણની કામગીરી પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સાયન્સ કોલેજ પાસે ઢાળ અને વળાંક હોવાથી વાહનચાલકો અચાનક ખાડો આવતા બ્રેક મારે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો અથડાવાના બનાવો રોજિંદા બન્યા છે. આ જીવલેણ ખાડાઓને કારણે અનેક વાહનચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

જોકે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, પરંતુ લોકમાગ છે કે જ્યાં સુધી નવો રોડ તૈયાર ન થાય ત્યાં સુધી આ જોખમી ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે. તંત્રની આળસને કારણે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે વહેલી તકે મરામત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago