Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર-ખમીસાણાને જોડતો પુલ એક વર્ષથી બંધ રહેતા રોષે ભરાયેલા ગ્રામજનોએ જાતે જ રસ્તો ખોલ્યો

સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વડોદરા પુલ દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે આ પુલને જર્જરિત જાહેર કરી બંધ કરવામાં આવ્યો હતો.

જોકે, લાંબો સમય વીતવા છતાં નવીનીકરણ કે સમારકામ શરૂ ન થતા આસપાસના 5 ગામના લોકોની ધીરજ ખૂટી છે. સ્થાનિકોએ આખરે કંટાળીને પુલની બંને તરફ માટીના પાળા હટાવી રસ્તો જાતે જ ખુલ્લો કરી નાખ્યો છે.

આ પુલની હાલત અત્યંત ગંભીર છે; નીચેના ભાગેથી પોપડા પડી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. તંત્રએ માત્ર પુલ બંધ કરીને પોતાની જવાબદારી પૂર્ણ માની લીધી હતી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કે રિપેરિંગના અભાવે વાહનચાલકો હવે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.

દુધરેજ નર્મદા કેનાલ પરના અન્ય પુલોનું સમારકામ થઈ ગયું હોવા છતાં ખમીસાણા પુલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. જો ભવિષ્યમાં અહીં કોઈ મોટી જાનહાનિ સર્જાશે, તો તેનો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત પુલનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago