Surendranagar

ગેસ સંકટ: વઢવાણના ખમીસણામાં આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી પુરવઠો ઠપ, વિદ્યાર્થીઓ માટે લાકડાના ચૂલે રસોઈ

મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓના રસોડા સુધી પહોંચી છે. સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે વઢવાણનામાં આવેલી આદર્શ નિવાસી શાળાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

છેલ્લા 7 દિવસથી ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળતા અહીં અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓ માટે હવે લાકડાના ચૂલા સળગાવીને ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે, ઓબીસી અને મહિલા આદર્શ નિવાસી શાળામાં ગેસના બાટલા ખૂટી પડતા રસોઈયાઓ ધોમધખતા તાપમાં પરંપરાગત ચૂલા પર રાંધવા મજબૂર બન્યા છે.

રસોઈયા ભવરસિંગ મારવાડીના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી એજન્સી દ્વારા સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી નથી. હોસ્ટેલના કોન્ટ્રાક્ટરો પણ ગેસ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમને ઘરે મોકલવાને બદલે હાલમાં લાકડાની ભઠ્ઠીઓ બનાવી રસોઈકામ ચલાવવામાં આવી રહ્યું છે.

માત્ર શાળાઓ જ નહીં, પણ શહેરના રેસ્ટોરન્ટો અને નાસ્તાની લારીઓ પર પણ આ ગેસ કટોકટીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લાંબી કતારો લાગે છે, છતાં પુરવઠો અપૂરતો છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ શાળાઓને પ્રાથમિકતા આપી ગેસ સિલિન્ડર ફાળવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago