Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર: હાર્દિક ટમાલીયાની ટીમમાં 37 યુવાનો અને 10 મહિલાઓને સ્થાન

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપ સંગઠન દ્વારા મોટા ફેરફારો સાથે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા દ્વારા જાહેર કરાયેલી 44 સભ્યોની આ નવી ટીમમાં સોશિયલ એન્જિનિયરિંગ અને યુવા શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 30 જેટલી વિવિધ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપીને તમામ વર્ગોને સાંધવાનો પ્રયાસ કરાયો છે.

નવા સંગઠનમાં 37 નવયુવાનોને સ્થાન આપી પક્ષે ભવિષ્યના નેતૃત્વની તૈયારી કરી છે, જ્યારે 11 મહિલાઓને મહત્વની જવાબદારી સોંપી નારી શક્તિનું સન્માન જાળવ્યું છે. આ માળખામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો અને બક્ષીપંચ મોરચા સહિત આઈ.ટી. અને મીડિયા સેલના હોદ્દેદારોના નામો પણ જાહેર કરી દેવાયા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે કાર્યકરોને ટિકિટ મળવાની શક્યતા ઓછી છે, તેમને સંગઠનમાં જવાબદારી સોંપી પક્ષે આંતરિક સંતુલન જાળવ્યું છે. જિલ્લા પ્રમુખે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા અને ચૂંટણીલક્ષી ગ્રાઉન્ડ વર્કમાં લાગી જવા આદેશ આપ્યા છે. ટૂંક સમયમાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago