સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નાગરિક સહકારી બેંક પોતાની કામગીરીને લઈને ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. બેંકના સભાસદ વિક્રમભાઈ રબારી દ્વારા બેંક દ્વારા ખરીદવામાં આવેલા એટીએમ (ATM) અને સ્કેનિંગ મશીનોના ખર્ચ અને ખરીદી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આ મશીનો કયા આધારે ખરીદાયા અને તેમાં બેંકના કેટલા નાણાંનો વપરાશ થયો તે અંગેની પારદર્શક વિગતો માંગવામાં આવી હતી. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળી દ્વારા પાટડી નાગરિક બેંકને લેખિતમાં જાણ કરી વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં બેંક તંત્ર દ્વારા સરકારી કચેરીને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. વહીવટી તંત્રને પણ વિગતો ન આપતા હવે આ ખરીદીમાં મોટા પાયે ગોલમાલ અને ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા દ્રઢ બની છે. આગામી દિવસોમાં આ મામલે રજિસ્ટ્રાર કચેરી દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…